![આ ટ્રેન કરાવશે બે ભગવાનના દર્શન, સવારે Dwarka દર્શન કરીને નીકળો, બીજે દિવસે શ્રીનાથજીના થશે દર્શન](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/07/200694-539-296110443144264-327115259629282197-579988-620244587117176092744.jpg)
આ ટ્રેન કરાવશે બે ભગવાનના દર્શન, સવારે Dwarka દર્શન કરીને નીકળો, બીજે દિવસે શ્રીનાથજીના થશે દર્શન
- GujaratOthers
- July 2, 2024
- No Comment
- 4
Dwarka-Nathdwara Express Train : ટ્રેન નંબર- 19575 ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. આ ટ્રેન 8.20 વાગ્યે ઓખાથી ઉપડે છે અને દ્વારકા 8.51 કલાકે પહોંચે છે. આ ટ્રેન દ્વારકાથી નાથદ્વારા સુધીમાં કુલ 1100 KM જેટલું અંતર કાપે છે.
Jamnagar to Nathdwara train : આ ટ્રેન ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, નડિયાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), દાહોદ, રતલામ, જૌરા, મન્ડસુર, નીમાચ, ચિતોડગઢ, મવલી જંક્શન, નાથદ્વારા જેવા સ્ટોપેજ લે છે. આ ટ્રેન મોટા સ્ટોપેજ દ્વારકા, જામનગર, રાજકોટ, વડોદરા 5 મિનિટ સ્ટોપ કરે છે. જ્યારે અમદાવાદ, રતલામ, ચિતોડગઢ, મવલી જંક્શન 10 મિનિટના સ્ટોપ લે છે.
Rajkot to Nathdwara train : દ્વારકા-નાથદ્વારા ટ્રેન વિકલી ટ્રેન છે. તે અઠવાડિયાના બુધવારે જ ચાલતી ટ્રેન છે. આ ટ્રેન રાજકોટ 12.50 વાગ્યે પહોંચે છે. મોરબીવાળા લોકો પણ આ ટ્રેનનો લાભ લઈ શકે છે. કેમ કે આ ટ્રેન વાંકાનેર થઈને નીકળે છે. 17.10 કલાકે આ ટ્રેન અમદાવાદ પહોંચે છે તેમજ વડોદરા પહોંચવાનો સમય 19.15 છે.
Ahmedabad to Nathdwara train : આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજિત 21 કલાકથી વધારેનો સમય લે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A, SL કોચ પણ ઉપલ્બ્ધ છે.
(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)