અમિત શાહે છુટોદોર આપ્યા બાદ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બાંદીપોરામાં એક આતંકીને કર્યો ઠાર, બે ત્રાસવાદીને ઘેર્યા
- GujaratOthers
- June 17, 2024
- No Comment
- 10
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ જમ્મુ ક્ષેત્રમાં વર્તાવેલા ત્રાસને પગલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ગઈકાલ રવિવારે તમામ મહત્વની સુરક્ષા એજન્સીઓની ઉચ્ચસ્ચરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાંથી ત્રાસવારનો સંપૂર્ણ સફાયો કરવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપ્યો છે.
આ બેઠક પૂર્ણ થયાના ગણતરી કલાકોમાં જ સુરક્ષાદળ અને જમ્મુ કાશ્મીર પોલીસે, બાંદીપોરામાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. જ્યારે બે ત્રાસવાદીઓને ઘેરામાં ફસાવી રાખ્યાં છે. કાશ્મીરથી આવી રહેલા અન્ય એક સમાચારમાં, પોલીસે એક આતંકવાદીને જીવતો પકડ્યો છે. જે હંદવાડાના કાક્રહી ગામનો હોવાનુ સામે આવ્યું છે. જે પાકિસ્તાન સ્થિત તેના હેન્ડલર સાથે સતત સંપર્કમાં રહ્યો હતો.
બાંદીપોરાના અરગામમાં આતંકવાદીઓ હોવાની માહિતી પર, 3 પેરા મિલેટરી ફોર્સ, 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બાંદીપોરા પોલીસના જવાનોએ અરગામને ઘેરી લીધું લઈને ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન અરગામમાં છુપાયેલા આતંકવાદીઓ તરફથી સુરક્ષા દળના જવાનો ઉપર ગોળીબાર શરૂ થયો હતો.
#WATCH | Jammu & Kashmir: Bandipora area cordoned off and search operation underway, after gunshots were heard in the forest area of Aragam Bandipora district, yesterday. More details are awaited pic.twitter.com/TvGBDbBmQK
— ANI (@ANI) June 17, 2024
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગઈકાલ રવિવારે મધરાતથી આતંકવાદીઓ સાથે અથડામણ શરુ થઈ હતી. હજુ પણ બેથી ત્રણ આતંકવાદીઓ અરગામમાં સંતાયા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકીઓમાંથી એક આતંકવાદી એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. જો કે આ ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, બાંદીપોરા જિલ્લાના અરગામમાં આતંકવાદીઓ હોવાની માહિતી પર, 3 પેરા મિલેટરી ફોર્સ, 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બાંદીપોરા પોલીસના જવાનોએ અરગામને ઘેરી લીધું લઈને ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઘેરાબંધી વધુ કડક થતી જોઈને છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીના કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આખા વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જેથી સંતાયેલા આતંકવાદીઓ ભાગી ન શકે.
#WATCH | J&K | “Security Forces and police have arrested an armed terrorist identified as Zakir Hameed Mir. He belongs to Kacrhi village of Handwara. He was in touch with a Pakistani handler,” says Dawood Ayoub SSP Handwara. pic.twitter.com/3HZ2hcelBn
— ANI (@ANI) June 17, 2024
દરમિયાન કાશ્મીરના હંદવાડામાંથી સામે આવેલા એક સમાચાર અનુસાર, પોલીસે એક સશસ્ત્ર આતંકવાદીને જીવતો પકડ્યો છે. જે હંદવાડાના કાક્રહી ગામનો હોવાનુ સામે આવ્યું છે. આ ત્રાસવાદી, પાકિસ્તાન સ્થિત તેના હેન્ડલર સાથે સતત સંપર્કમાં રહ્યો હતો.