અમદાવાદમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ ના થતા, ભાજપના જ ધારાસભ્યે પત્ર લખીને તંત્રનો કાન આમળ્યો, જુઓ વીડિયો

અમદાવાદમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ ના થતા, ભાજપના જ ધારાસભ્યે પત્ર લખીને તંત્રનો કાન આમળ્યો, જુઓ વીડિયો

દર વર્ષે ચોમાસામાં વરસતા સામાન્ય વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરક થઈ જતા હોય છે. અમદાવાદમાં વરસાદ વરસે અને સાબરમતી નદી ઉપર વાસણા ખાતે આવેલ બેરેજના દરવાજા ખોલવામાં ના આવે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતો નથી. આ સમસ્યા સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ રિવરફ્રન્ટને કારણે વકરી છે. પરંતુ દર વર્ષે ચોમાસા પહેલા ગુજરાતના જળ સંપતિ વિભાગ દ્વારા વાસણા બારેજના દરવાજાનું સમારકામ હાથ ધરવામાં આવે છે. જેથી કરીને ચોમાસામાં જયારે જરૂર પડે ત્યારે, વાસણા બેરેજના દરવાજા ખોલીને શહેરના વિવિધ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનુ સાબરમતી નદીમાં વહન થઈ શકે.

જો કે વર્ષોથી આ કામગીરી કરવામાં આવતી હોવા છતા, આ વર્ષે ગુજરાતના જળસંપતિ વિભાગ દ્વારા વાસણા બારેજના દરવાજાઓનું યોગ્ય સમારકામ હાથ ધરાયું નથી. જેને લગતો એક પત્ર અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્યે જળસંપતિ વિભાગને લખીને કેટલાક પ્રશ્નો પુછ્યાં છે.

અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં સાવ સામાન્ય કહેવાય તેટલી માત્રામાં વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા બીજા વર્ષે ઓછી થવા અથવા તો ઉકેલાવવાને બદલે સમસ્યામાં નવા નવા વિસ્તારો ઉમેરાતા જાય છે. અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના જળસંપતિ વિભાગ દ્વારા યોગ્ય સંકલનના અભાવે નાગરિકોને હેરાનગતી અને મરો થતો હોય છે. આ વર્ષે મનપાએ જાહેર કર્યું હતું કે, દર વર્ષે જે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે તે પૈકી અનેક વિસ્તારોની સમસ્યાનો નિકાલ થઈ જશે. પરંતુ આ સમસ્યા ઉકેલાવાને બદલે, યથાવત રહેવા પામી છે.

 

 

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *