અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મોહમદ રાકીબ શેખ અને મોહમદ આમિર પઠાણ છે જેમને 22 વર્ષના યુવકની હત્યા કરી હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં આવેલા અજિતમિલ ચાર માળિયામાં જાવેદઅલી ઉર્ફે જગગા અન્સારીની છરીના ઘા ઝીકીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાના ગણતરીના કલાલોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ પૈસાની લેતી દેતીની ઉઘરાણી અને એક જ યુવતીને પ્રેમ કરવાની ઝઘડાની અદાવતમાં યુવકના ઘરે જઈને છરીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કસ્ટડી મેળવી 2 આરોપીની ધરપકડ કરી છે.

શું છે હત્યા પાછળની હકીકત ?

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જાવેદઅલી અન્સારી અને આરોપી મોહમદ રાકીબ શેખ વચ્ચે છેલ્લા એક મહિનાથી ઝઘડો ચાલતો હતો. જેમાં મૃતક અને આરોપી એક જ યુવતીને પ્રેમ કરતા હતા. આ ઉપરાંત મૃતક જાવેદઅલીના એક મિત્રનાં રૂપિયા એક લાખની ઉઘરાણી રાકીબ પાસેથી લેવાના હતા. જેથી તેના ઘરે જઈને મૃતક ઉઘરાણી કરતો હતો અને થોડા દિવસ પહેલા તેઓની વચ્ચે રીક્ષા અથડાઈ જતા ઝઘડો પણ થયો હતો.

છરીના ઘા ઝીકીને હત્યા કરી

આ ઝઘડાઓની અદાવતમાં આરોપીઓ બે વખત મૃતકના ઘરે જઈને ધમકી આપી ગયા હતા. ત્રીજી વખત પણ ધમકી આપવા પહોંચ્યા તો ઉગ્ર તકરાર થતા 2 આરોપીએ મૃતકને પકડી રાખ્યો અને રાકીબે છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.

આ હત્યા કેસમાં હજુ ચાર આરોપી સોનુ, હસરત ઉર્ફે લાલો, અવેશ ઇકલાલ અને ઉઝેફા રાજપૂત નામના આરોપીઓ ફરાર છે. જેથી રખિયાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

Related post

જો વિરાટ-રોહિતે 4 દિવસનો સમય આપ્યો હોત તો કદાચ ચેન્નાઈમાં આવું ખરાબ પ્રદર્શન ના હોત!

જો વિરાટ-રોહિતે 4 દિવસનો સમય આપ્યો હોત તો કદાચ…

અપેક્ષા- રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગ્સની હતી, પરંતુ બે દિવસમાં ટીમ ઈન્ડિયાના બે સૌથી મોટા બેટ્સમેન ખરાબ રીતે…
CM ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે, એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું

CM ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે, એશિયાટિક…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
અમને કાયમી કરો – વડોદરા પાલિકાના 700થી વધુ હંગામી કર્મચારીઓ કાયમી થવા મેદાને, જુઓ Video

અમને કાયમી કરો – વડોદરા પાલિકાના 700થી વધુ હંગામી…

કર્મચારીઓ અને વડોદરા મહાનગર પાલિકા વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં લોકો જ્યારે કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે, કમિશનરને પ્રવેશવાનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *