અંબાજી મંદિર દ્વારા સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં પોણા નવ મણ સોનું જમા કર્યું, જાણો કિંમત

અંબાજી મંદિર દ્વારા સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં પોણા નવ મણ સોનું જમા કર્યું, જાણો કિંમત

પ્રજા પાસે તેમજ મોટી સંસ્થાઓ પાસે રહેલા સોના ને ઉપયોગ માં લેવા કેન્દ્ર સરકાર દ્વારા લોકો નું સોનુ મેળવી તેના ઉપર વ્યાજ આપવા માટે ની એક ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે. આ યોજના નો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર લઇ રહ્યો છે .અંબાજી મંદિર માં 1960 થી વિવિધ માઇભક્તો દ્વારા દાન માં મળેલા સોના ના વિવિધ ઘરેણાં જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકાર ની આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ માં મુકવા રાજ્ય સરકાર પાસે થી સિધ્યન્તિક મંજૂરી મેળવવામાં આવી હતી. જે બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડા માં 171 કિલો સોનુ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ માં મૂકવામાં આવ્યું હતું. હાલ કુલ 175 કિલો સોનું એટલેકે આજની કિંમત અનુસાર અંદાજે 122 કરોડ ની કિંમત નુ આ સ્કીમ માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજી ને ચઢાવવામાં આવેલા વિવિધ દાગીનાઓ ને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંક માં જમા કરાવે છે. આ ગોલ્ડ મોનિટઈઝેશન સ્કીમ માં મુકવામાં આવેલા સોનાનું મળતા વ્યાજ ની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ ની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે. જેથી સોનુ પણ અકબંધ રહે છે અને સુવિધાઓમાં પણ વધારો થાય છે.

સાડા પાંચ-છ ટન ચાંદી પણ જમા કરાશે

જયારે ભક્તો દ્વારા માતાજી ને ચાંદી ના ઘરેણાં પણ વિવિધ સ્વરૂપે ચઢાવતા હોય છે. તે અત્યાર સુધી માં 5500 થી 6 હજાર કિલો જે હમણાં નાં ભાવ અનુસાર 50 કરોડ ની કિંમત થી વધુ ચાંદી એકત્રિત થયેલ છે. હજી આ મોનિટાઇઝેશન સ્કીમ માં મુકવામાં આવેલ નથી પણ આગામી સમય માં આ તમામ ચાંદી ની વેલ્યુએશન કરાવી આગળ ની કાર્યવાહી હાથ ધરાશે. જે અંદાજે 15 એક દિવસ માં પૂર્ણ કરાશે તેમ અંબાજી મંદિર ના અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદી એ જણાવ્યું હતું.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *