અમદાવાદમાં નકલીના ખેલે હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ, જુઓ Video

અમદાવાદમાં નકલીના ખેલે હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ, જુઓ Video

અમદાવાદમાં નકલીના ખેલે હદ વટાવી ! ગાંધીજીના બદલે અનુપમ ખેરના ફોટા વાળી ચલણી નોટ ઝડપાઇ, જુઓ Video

તમે જો પાંચસોની ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે. જોકે એવું થયું છે. આમ તો આપણે હવે મોટેભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. યુપીઆઈ જેવી એપથી પૈસાનો વ્યવહાર ભલે ચાલતો પરંતુ રોકડનું ચલણ પણ કંઈ બંધ નથી થયું. એટલે જ જો કોઈ મોટી રકમની લેવડદેવડ રોકડેથી કરવાની થાય તો શું થઈ શકે છે, એ અમદાવાદની ઘટનામાં જોવા મળ્યું.

2100 ગ્રામ સોના માટે 1.60 કરોડની ડીલ

અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની કે જે જોઈને તમારે હસવું કે રડવું એ નક્કી નહીં કરી શકાય. થયું એવું કે માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ.

500 ના દરની હતી નકલી નોટો

સોનુ તેમણે સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મગાવ્યુ જેની સામે રૂપિયા 500 ની દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ રૂપિયા ઓફિસેથી જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 1.30 કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ 500 ના દરની નોટો નકલી હતી.

એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો હોવાનું સામે આવ્યું હતું અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી.

આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ

વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લીકેટ નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Related post

Mahisagar News : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, નદીકાંઠા વિસ્તારના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા, જુઓ Video

Mahisagar News : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, નદીકાંઠા વિસ્તારના…

મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. કડાણા ડેમની સપાટી…
IIFA Awards 2024 : બોલિવૂડ અને સાઉથના પ્રખ્યાત સ્ટાર્સે (IIFA) 2024માં ભાગ લીધો, આજે એવોર્ડ્સમાં શું ખાસ છે જાણો

IIFA Awards 2024 : બોલિવૂડ અને સાઉથના પ્રખ્યાત સ્ટાર્સે…

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ સમારોહ અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાઇ રહ્યો છે. 27 થી 29 સપ્ટેમ્બર સુધી ત્રણ…
નહેરુ સરકારમાં થયું હતું આઝાદ ભારતનું પહેલું કૌભાંડ, આ સ્કેમમાં ફસાયેલા વી.કે. મેનનને કેવી રીતે નહેરુજીએ બચાવ્યા ?

નહેરુ સરકારમાં થયું હતું આઝાદ ભારતનું પહેલું કૌભાંડ, આ…

ભારતના રાજકીય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સતત ચર્ચા થતી રહી છે. ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડની વાત નવી નથી. આઝાદી બાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *