વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનની બદ્દતર હાલત, અનાજમાં જીવાત અને મરેલા ઉંદરનું સામ્રાજ્ય, મેનેજરે કર્યો લુલો બચાવ- Video

વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનની બદ્દતર હાલત, અનાજમાં જીવાત અને મરેલા ઉંદરનું સામ્રાજ્ય, મેનેજરે કર્યો લુલો બચાવ- Video

વડોદરામાં ભૂતડા ઝાંપા નજીક આવેલા સરકારી ગોડાઉનની બદ્તર હાલત જોવા મળી છે. ગોડાઉનમાં મરેલા ઉંદરો અને જીવાતો જોવા મળી. અનાજમાં ધનેડા પડી જતા મોટાભાગનું અનાજ સડી ગયુ છે. આ અંગે સ્થાનિકોએ ગોડાઉનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકોની સાથે ગોડાઉન પર પહોંચેલી TV9ની ટીમના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ચિંતાજનક હતા. ગોડાઉનમાં રાખેલા અનાજમાં ધનેરાનું સામ્રાજ્ય હતું તો ક્યાંક મરેલા ઉંદર પણ કેમેરામાં કેદ થયા. સ્થાનિકોનો આરોપ છે કે અનાજની જીવત તેમના ઘરના ખોરાકમાં પડે છે.

ગોડાઉનમાં હાજર મેનેજરનો દાવો છે કે અનાજમાં જીવડા પડવા એ સામાન્ય વાત છે અને આ જીવાત આસપાસના લોકોની પરેશાનીનું કારણ ન બને તે માટે સમયાંતરે દવાનો છટકાવ કરવામાં આવે છે.

તો પ્રજાનો રોષ પારખી ગયેલું તંત્ર પણ દોડતું થયું. પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા, અને ગોડાઉનની સ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓ પણ દાવો કરી રહ્યા છે કે સ્થાનિકોની મુશ્કેલીનો અંત લવાશે.

જોકે અહીં સવાલ એ સર્જાય કે અનાજ સડી ગયું હોવાછતાં કેમ તેની તકેદારી રાખવામાં નથી આવતી. અનાજમાં જીવાતનો ઉપદ્રવ સર્જાય ત્યાં સુધી કેમ તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યું. કેમ સ્થાનિકોની ફરિયાદ પર પહેલા ધ્યાન આપવામાં ન આવ્યું. કેમ મીડિયાની એન્ટ્રી થયા બાદ જ તંત્ર દોડતું થયું. આશા રાખીએ સરકારી અનાજ નષ્ટ થાય તે પહેલા ગરીબોના ઘર સુધી પહોંચે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Mahisagar News : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, નદીકાંઠા વિસ્તારના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા, જુઓ Video

Mahisagar News : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, નદીકાંઠા વિસ્તારના…

મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. કડાણા ડેમની સપાટી…
IIFA Awards 2024 : બોલિવૂડ અને સાઉથના પ્રખ્યાત સ્ટાર્સે (IIFA) 2024માં ભાગ લીધો, આજે એવોર્ડ્સમાં શું ખાસ છે જાણો

IIFA Awards 2024 : બોલિવૂડ અને સાઉથના પ્રખ્યાત સ્ટાર્સે…

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ સમારોહ અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાઇ રહ્યો છે. 27 થી 29 સપ્ટેમ્બર સુધી ત્રણ…
નહેરુ સરકારમાં થયું હતું આઝાદ ભારતનું પહેલું કૌભાંડ, આ સ્કેમમાં ફસાયેલા વી.કે. મેનનને કેવી રીતે નહેરુજીએ બચાવ્યા ?

નહેરુ સરકારમાં થયું હતું આઝાદ ભારતનું પહેલું કૌભાંડ, આ…

ભારતના રાજકીય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સતત ચર્ચા થતી રહી છે. ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડની વાત નવી નથી. આઝાદી બાદ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *