
શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે PGDM ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો
- GujaratOthers
- October 30, 2023
- No Comment
- 14

શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે PGDM ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં ઉજવણીની શરૂઆત એકેડેમિક પ્રસેશન સાથે થઈ હતી. સંગીતના સથવારે સ્નાતકોને કાર્યક્ર્મ સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા પરંપરાગત દીપ પ્રાગટ્ય પછી મુખ્ય મહેમાન આદિત્ય કંથીનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું.
ચિરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ ચિરીપાલે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી હતી. ડૉ. નેહા શર્મા, ડાયરેક્ટર ‘એસબીએસ’એ તમામ મહાનુભાવો, આમંત્રિતો, વાલીઓ, ફેકલ્ટી અને સ્નાતકોનું સ્વાગત કર્યું. ડૉ. નેહા શર્માએ કહ્યું કે “દીક્ષાંત સમારોહ એ પ્રગતિ, પરિવર્તન અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. તે એક નવી સફરની શરૂઆત છે.
આદિત્ય કંથી મુખ્ય અતિથિ તરીકે હજાર રહ્યા હતા તેમણે તેમના સંબોધનમાં પાવર ઓફ બીગ ડ્રીમ અને એમ્બિશનની શક્તિનું મહત્વ સમજાવ્યું. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ જે પ્રકારનું કામ કરવા માગે છે તેને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે, વધુમાં તેમણે કહ્યું કે “ટેકિંગ ચાર્જ, અકાઉન્ટબિલિટી અને ઓનરશીપ ઓફ વર્ક” એ સફળતાનો મહામંત્ર છે.
એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ પીજીડિપ્લોમાથી નવાજવામાં આવેલા સ્નાતકોના નામ એનાઉન્સ કર્યા. ક્લાસ 2021-23ના ટોપરને આપવામાં આવેલ ઓવરઓલ એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ “અમીષા જૈન”ને આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : થનગનાટ 2023 : આહીર સમાજ દ્વારા રાસોસત્વ કાર્યક્રમ યોજાયો, ભાઈઓ અને બહેનો ભાતીગળ અને પારંપારિક પહેરવેશમાં જોવા મળ્યા
હ્યુમન રિસોર્સિસ, ઇન્ટરનેશનલ બિઝનેસ, માર્કેટિંગ, ફાઇનાન્સ, ડેટા સાયન્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ટોપર્સ તરીકે મેરિટોરીયસ એવોર્ડ મેળવનાર લોકોની વાત કરવામાં આવે તો રુચિ કુમારી, હર્ષિતા રામચંદાની, તસ્નીમ અખ્તર, પંડ્યા દેવી ધ્રુવ, નીતુ સિંહ રાજપૂત, સૈજલ શ્રીવાસ્તવ અને ખેરા પ્રીતસિંહ હરવિંદરસિંહ હતા.