લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને ફરી મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી

લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને ફરી મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી

લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને ફરી મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમે આજે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય મુલત્વી રાખ્યો હતો, પરંતુ આજે જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની જામીન અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમે કહ્યું “6 થી 8 મહિનાનો ટ્રાયલ પૂર્ણ કરો”

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને 6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સિસોદિયા ત્રણ મહિના પછી ફરી જામીન માટે આવી શકે છે પરંતુ ત્યાં સુધી તેમણે ટ્રાયલ પૂરો કરવો પડશે. ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતા કહ્યું છે કે 338 કરોડ રૂપિયાની મની ટ્રેલ સાબિત થઈ છે. મનીષ સિસોદિયાની ફેબ્રુઆરીમાં ઈડી અને સીબીઆઈ દ્વારા લિકર પોલિસી મામલે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

ગત સુનાવણીમાં કોર્ટે અનેક સવાલો પૂછ્યા

તમને જણાવી દઈએ કે 17 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે CBI અને EDને પૂછ્યું હતું કે સિસોદિયા પર લાગેલા આરોપો પર હજુ સુધી ચર્ચા કેમ શરૂ નથી થઈ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો.

લિકર પોલિસી કેસમાં, સિસોદિયાને પહેલા CBI અને પછી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેઓ દિલ્હી એક્સાઇઝ વિભાગના પ્રભારી હતા. સિસોદિયા પર ખાનગી કંપનીઓને લાભ આપીને લાંચ લેવાનો આરોપ છે. અગાઉ સીબીઆઈએ એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે કેસ નોંધ્યો હતો અને સિસોદિયાને મુખ્ય આરોપી બનાવ્યા હતા. બાદમાં ઈડીએ પણ મની લોન્ડરિંગને લઈને કેસ નોંધ્યો હતો.

સિસોદિયા પર કયા આરોપ?

મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. 17 ઓક્ટોબરે જ્યારે તેની જામીન પર સુનાવણી થઈ ત્યારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. છેલ્લી સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમને આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તેને આરોપી બનાવવામાં આવ્યો છે.

 

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *