રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂર્ણ કર્યા, આ કમાલ કરનાર માત્ર પાંચમો ભારતીય

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂર્ણ કર્યા, આ કમાલ કરનાર માત્ર પાંચમો ભારતીય

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂર્ણ કર્યા, આ કમાલ કરનાર માત્ર પાંચમો ભારતીય

રવિવારે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે બે રેકોર્ડ બનાવ્યા હતા. આ મેચ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કપ્તાન તરીકે 100 મી મેચ હતી અને તે આ કમાલ કરનાર તે સાતમો કેપ્ટન બન્યો હતો. આ મેચમાં જીત સાથે રોહિત 100મી મેચમાં કપ્તાન કરતા જીત મેળવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે પોતાનો 48મો રન બનાવતાની સાથે જ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા હતા અને ભારત માટે 18000 રન બનાવનાર પાંચમો અને વિશ્વનો 20 મો બેટ્સમેન બની ગયો હતો.

સૌથી વધુ રન બનાવનાર ત્રીજો એક્ટિવ બેટ્સમેન

હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા વિશ્વભરના બેટ્સમેનોમાં સૌથી વધુ રન મામલે માત્ર ત્રણ જ ખેલાડીઓ રોહિત શર્માથી આગળ છે. જેમાં ભારતના વિરાટ કોહલી, ઈંગ્લેન્ડના જો રુટ અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેવિડ વોર્નરના 18191, જો રુટના 18730 અને વિરાટ કોહલીના 26121 રન છે.

18 હજાર રન બનાવનાર પાંચમો ભારતીય બેટ્સમેન

રોહિત શર્મા ભારત માટે 18 હજાર રન બનાવનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે. સૌથી પહેલા સચિન તેંડુલકરે આ કારનામું કર્યું હતું, ત્યારબાદ રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ 18 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો અને હવે રોહિત શર્માએ આ ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે અને દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થયો છે.


આ પણ વાંચો : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના ખાનગી મેસેજ ટીવી ચેનલ પર લીક થતા વિવાદ

રોહિત શર્માનું શાનદાર ઈન્ટરનેશનલ કરિયર

રોહિત શર્માએ 477 ઈનિંગ્સમાં 18 હજાર રન પૂર્ણ કર્યા હતા, જેમાં વનડે ફોર્મેટમાં 10470, ટેસ્ટ 3677 અને T20માં 3853 સામેલ છે. રોહિત શર્માએ ODIમાં 31, ટેસ્ટમાં 10 અને T20માં 4સદી ફટકારી છે. ODIમાં 3 ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *