મહીસાગર : લુણાવાડાની માધવ રેસીડેન્સીમાં ચોરી, પંચધાતુની પ્રતિમા ચોરાઈ

મહીસાગર : લુણાવાડાની માધવ રેસીડેન્સીમાં ચોરી, પંચધાતુની પ્રતિમા ચોરાઈ

મહીસાગરના લુણાવાડામાં આવેલી માધવ રેસીડેન્સીમાં ચોરીની ઘટના બની છે. તસ્કરો જૈન સમાજની પંચધાતુની પ્રતિમા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. મહાવીર સ્વામી, નમી નાથજી, અષ્ટ મંગલ સિદ્ધયંત્ર સહિત દાનપેટી પણ ઉઠાવી ગયા હતા. કુલ 79 હજારની મત્તા ચોરી તસ્કરો ફરાર થયા હતા.

આ પણ વાંચો મહીસાગર: લુણાવાડામાં આખલાનો આતંક યથાવત, નગરપાલિકા પાસે આખલા યુદ્ધથી સ્થાનિકોમાં ભય

માધવ રેસીડેન્સીમાં જૈન સમાજના એક પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે માટે મહાવીર સ્વામી, નમી નાથજીની પ્રતિમા તેમજ અષ્ટ મંગલ સિદ્ધયંત્ર સહિત દાનપેટી પણ મૂકાઇ હતી, પરંતુ અજાણ્યા શખ્સો ખૂબ ચાલાકીથી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જેથી જૈન સમાજમાં રોષનો માહોલ છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં, જુઓ વીડિયો

પડતર માગણીઓને લઈ વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં,…

રાજ્ય વેરા વિભાગના કર્મચારીઓ લડી લેવાના મુડમાં છે. અન્ય કેડરના અધિકારીઓને જીએસટી વિભાગમાં નિમણૂક આપવા મુદ્દે વેરા વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો.…
ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં કેટલું પાવરફુલ

ખેડૂતો માટે સારા સમાચાર, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, જાણો…

દેશની અગ્રણી ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સના મોટાભાગના ટ્રેક્ટર ડીઝલ ઇંધણથી ચાલે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને CNG ઇંધણ પર ટ્રેક્ટર ચલાવવાથી…
પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં મળે પેન્શન, માત્ર એક જ દિવસ બાકી

પેન્શનરો આ કામ તાત્કાલિક પતાવી દો, નહીં તો નહીં…

નિવૃત્ત લોકો માટે પેન્શન તેમના જીવનની કરોડરજ્જુ સમાન છે. નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવા માટે તેમના માટે આ આવકનો એક માત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *