
અમરેલી : સાવરકુંડલાના આદસંગ ગામે આદમખોર સિંહે બાળકીનો કર્યો શિકાર, વનવિભાગે સિંહને પાંજરે પુર્યો
- GujaratOthers
- November 3, 2023
- No Comment
- 15
અમરેલી: સાવરકુંડલાના આદસંગ ગામમાં સિંહે બાળકીને ફાડી ખાતા બાળકીનું મોત થયુ છે. ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની બાળકીને સિંહે શિકાર કર્યો હતો. સિંહે બાળકીને ગળાના ભાગેથી પકડી લઈ જઈ રહ્યો હતો. એ સમયે વનવિભાગના કર્મચારીઓ અને સ્થાનિકોએ સિંહની પાછળ દોટ મુકી બાળકીને છોડાવી હતી. જો કે, એટલીવારમાં બહુ મોડુ થઈ ચુક્યુ હતુ અને બાળકીનું પ્રાણ પંખેરુ ઊડી ગયુ હતુ. 8 વર્ષની કુંજલ ગુજરીયાના મોત બાદ આદસંગ ગામમાં શોકનું મોજુ ફેલાયુ છે.
વનવિભાગે મેગા ઓપરેશન હાથ ધરી સિંહને પાંજરે પુર્યો
આ ઘટનાને પગલે વનવિભાગે સિંહને પકડના માટે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા વનવિભાગને સફળતા મળી છે અને સિંહને પકડી લેવામાં આવ્યો છે. સિંહને બેહોશ કરી પાંજરે પુરવામાં વનવિભાગના કર્મચારીઓને સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં વનવિભાગે સિંહને પકડી પાંજરે પુરતા ગ્રામજનોને આંશિક રાહત થઈ છે.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો